ફી રેગ્યુલેશન ઉલ્લંઘન કરવા પર સ્કૂલોની NOC થશે રદઃ પંજાબ CM
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ AAPની સરકાર છે. AAP તેની શાળાઓમાં થયેલા પરિવર્તનને મોટી સફળતા તરીકે જાહેર કરે છે. પાર્ટીનો દાવો છે કે દિલ્હીની ફોર્મ્યુલાથી પ્રેરિત પંજાબની સરકારી શાળાઓમાં પણ સકારાત્મક ફેરફારો કરવામાં આવશે. વિધાનસભામાં સીએમ ભગવંત માને કહ્યુ કે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.