જ્ઞાનવાપી સર્વેમાં કમિશ્નરને હટાવાયા, જાણો સુપ્રીમનો નિર્ણય
વારાણસીની એક અદાલતે જ્ઞાનવાપી કેસમાં મસ્જિદના સર્વે સાથે સંકળાયેલા ટોચના અધિકારીને હટાવી દીધા છે. આ સાથે કોર્ટે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે, જેની માંગ સર્વે ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. માહિતી અનુસાર વારાણસી કોર્ટે સર્વેના 'કોર્ટ કમિશનર' અજય મિશ્રાને હટાવી દીધા છે. મુસ્લિમ પક્ષ પહેલાથી જ અજય મિશ્રાની નિમણૂક પર સવાલ ઉઠાવી રહ્યો હતો.